તક

🌹🦚🌹 એક કુંભાર પાસે ત્રણ ગધેડા અને ફક્ત બે દોરડા હતાં. પોતાને નદીમાં ન્હાવા માટે જવું હતું એટલે તેણે ગધેડાઓને દોરડાથી બાંધવાનું વિચાર્યું પણ, દોરડા બે જ હતાં અને ગધેડા ત્રણ ! તેણે એક ડાહ્યા માણસની સલાહ લીધી. એ માણસે કહ્યું કે, “તું બે ગધેડાને, ત્રીજો ગધેડો જુએ તે રીતે બાંધ અને પછી ત્રીજા ગધેડાને…

🌹🦚🌹

એક કુંભાર પાસે ત્રણ ગધેડા અને ફક્ત બે દોરડા હતાં.
પોતાને નદીમાં ન્હાવા માટે જવું હતું એટલે તેણે ગધેડાઓને દોરડાથી બાંધવાનું વિચાર્યું પણ, દોરડા બે જ હતાં અને ગધેડા ત્રણ !
તેણે એક ડાહ્યા માણસની સલાહ લીધી.
એ માણસે કહ્યું કે, “તું બે ગધેડાને, ત્રીજો ગધેડો જુએ તે રીતે બાંધ અને પછી ત્રીજા ગધેડાને (ખોટે ખોટે) બાંધવાની ફક્ત એક્શન કર, નાટક કર..

કુંભારે એમ જ કર્યું !

નહાઈને, બહાર આવીને જોયું તો, જેને નહોતો બાંધ્યો, ફક્ત બાંધવાનું નાટક જ કર્યું હતું તે ગધેડો પણ જાણે બંધાયને ઉભો હોય એમ નો એમ ઉભો હતો !!!
.
કુંભારે બે ગધેડાઓને છોડયાં અને ચાલવા માંડ્યો પણ, એનાં આશ્ચર્ય વચ્ચે ત્રીજો ગધેડો પોતાનાં સ્થાનેથી હલ્યો પણ નહીં ! ધક્કો માર્યો તો પણ નહીં !

કુંભારે ફરી પેલા ડાહ્યા માણસને પૂછ્યું..

પેલા ડાહ્યા માણસે કહ્યું કે, “શું તે એ ત્રીજા ગધેડાને છોડ્યો ?”

કુંભાર કહે કે, *”મેં તેને બાંધ્યો જ નહોતો !!”*

ડાહ્યા માણસે કહ્યું કે, “એ તું જાણે છે કે ગધેડો બંધાયેલ નથી પણ, ગધેડો પોતાને બંધાયેલો જ સમજે છે.. તું એને (ખોટે ખોટે) છોડવાનું નાટક કર..”

કુંભારે તેમ જ કર્યું, ને તેના આશ્ચર્ય વચ્ચે હવે ત્રીજો ગધેડો ટેસથી ચાલવા લાગ્યો..!!!

💢

એ ત્રીજા ગધેડાને રોકનાર, અટકાવનાર શું હતું ?

– શું એની પાસે તક નહોતી ?
– શું એની પાસે (ચાલવા માટે) માર્ગ નહોતો ?
– શું તેની સામે (મુક્તતાથી ચાલતા અન્ય બે ગધેડાઓનું) ઉદાહરણ નહોતું ?
– શક્તિ નહોતી ?
– સપોર્ટ નહોતો ? (એનો માલિક એને ચલાવવા માટે રીતસર ધક્કા મારતો હતો !!)
.
.
બધું જ હતું..

તો પછી,
એને ચાલવાથી શું/કોણ રોકતું હતું ?

મિત્રો,
*આપણી સાથે પણ એ ત્રીજા ગધેડા જેવું જ બનતું હોય છે..*

*આપણે (કાલ્પનિક રીતે) આપણી સાવ ખોટી શરમ, સંકોચ, ક્ષોભ અને કુંઠિત મનોવૃત્તિના કાલ્પનિક દોરડાથી બંધાયેલા હોઈએ છીએ..*

– મને સંકોચ થાય છે..
– મને શરમ આવે છે..
– મને તક નથી મળતી..
– મને કોઈ સપોર્ટ નથી મળતો..
– મને માર્ગ નથી મળતો..
– મારાથી આ નથી થઈ શકે તેમ..
વગેરે.. વગેરે..

આ બધાં *આપણને ફોગટના બાંધી રાખતાં દોરડાઓ છે..*

*આપણે આપણાં મનમાં જ કાલ્પનિક રીતે ઉભી કરેલી આવી બંધનવૃત્તિ થી છૂટવાની જરૂર છે..*

જેને ઉડવું છે – એને *આકાશ* મળી રહે છે..

જેને ગાવું છે – એને *ગીત* મળી રહે છે..

જેને ચાલવું છે – એને *દિશા* મળી જ રહે છે…

🌹🙏🌹

Tags:

टिप्पणी करे

Design a site like this with WordPress.com
प्रारंभ करें